નવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ

ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે

New Update
નવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ

ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ઐતિહાસિક દાંડીમાં દર વર્ષે દરિયો દોઢથી બે ફૂટ આગળ વધી રહ્યો છે

ભારતની આઝાદીમાં દાંડીકૂચનુ વિશેષ મહત્વ છે. દરિયા કિનારે વસેલા નવસારીના ઐતિહાસિક દાંડી ગામ ગાંધીજી અને મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વમાં જાણીતું બન્યું છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરમાં વૈશ્વિક ફલક પણ જાણીતા બનેલા દાંડીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયુ છે. કારણ છે સતત આગળ વધતો દરિયો. છેલ્લા થોડા વર્ષોમાં દરિયો દાંડી ગામના કિનારાને ગળી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોની ચિંતા વધી છે. એક અનુમાન મુજબ દરિયો દાંડીની સેંકડો ફૂટ જમીન પોતાનામાં સમાવી ચુક્યો છે ત્યારે દાંડી ગામના લોકોએ વન વિભાગ સાથે મળીને કિનારાના વિસ્તારમાં જંગલી બાવળો વાવ્યા હતા અને ગામના વડીલોએ મહેનત કરીને એ બાવળોને ઉછેર્યા જેને કારણે દરિયાની તોફાની થપાટ સામે દાંડી ટકી શક્યું છે. પરંતુ ગત દિવસોમાં વિકાસને નામે દાંડીના કિનારે ઉગેલા બાવળોને કોઈક એજન્સીએ ગ્રામજનોની જાણ બહાર ઉખેડી કાઢતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર દ્વારા 80 કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. દાંડીના દરિયા કિનારે જોખમ વધતા રાષ્ટ્રીય સ્મારક સામે પણ ખતરો ઉભો થયો છે. કારણ દરિયાથી સ્મારક સુધીનું અંતર પણ ઘટી રહ્યું છે, સ્મારકના સંચાલક પણ દરિયા કિનારેથી બાવળ કાઢવાની ઘટનાને ખોટી ગણાવી રહ્યાં છે. સમગ્ર મુદ્દે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને જાણ કરતા એમણે દાંડી રાષ્ટ્રીય ધરોહર હોવાથી જંગલી બાવળ કાઢવાની વાતને ગંભીરતાથી લઈ તપાસ કરાવી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ હતું.

Read the Next Article

સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..

New Update

સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત

અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા

ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ

બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો

બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ

સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

Latest Stories