નવસારી : વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો દ્વારા ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવે છે. આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનમાં જતનાના સંદેશ સાથે નવસારીના વાંસદાના કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી કાઢી હતી. કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી વાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતા ગાંધી મેદાનમાં પહોંચ્યા હતા. 
આ પ્રસંગે વાંસદા  ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે પોતાની નારાજગી દર્શાવી હતી. તાજેતરમાં કેવડીયા ખાતે બે આદિવાસી યુવાનોના મોત થયા હતા, જે સંદર્ભે પણ તીખી પ્રક્રિયા આપી હતી.
Read the Next Article

જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે.

New Update
રથ યાત્રા

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે.

સાબરમતી સોમનાથના આરે  જળયાત્રા પહોંચશે. સાબરમતી નદીમાં કરવામાં પહેલા  ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશમાં  સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત છે. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન છે. 

વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદામાં અષાઢી બીજે  જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ પહેલા દર વર્ષે વિધિવત જળયાત્રા યોજાઇ છે. દર જેઠ સુદ પૂનમે   108 કળશની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ જલયાત્રા સવારે મંદિરથી શરૂ થાય છે. જેમાં ગજરાજા અને 108 કળશ લઇને મહિલાઓ રથયાત્રામાં જોડાઇ છે. આ યાત્રા  સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવે છે. બાદ 108 કળશમાં સાબરમતીની જળભરીને વાજતે ગાજતે  યાત્રા ફરી મંદિર પહોંચે છે અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાવાયા છે.

આ જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના પવિત્ર અવસર પહેલા જ જલયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી ભરેલા 108 કળશમાં સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.