NIAના પાંચ રાજ્યમાં 19 સ્થળોએ દરોડા,સાણંદમાંથી એક શંકાસ્પદની અટકાયત

અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી.અને મદરેસામાં કામ કરતા આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

New Update
NIA Raids In Gujarat

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA દ્વારા પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાં અમદાવાદના સાણંદમાંથી એક શકમંદની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવાના મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

 અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી.અને મદરેસામાં કામ કરતા આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે.

 ગુજરાતજમ્મૂ-કાશ્મીરઅસમમહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ ઠેકાણાઓ પર NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ અભિયાન આતંકવાદી દુષ્પ્રચારના પ્રચાર અને ચરમપંથી ગતિવિધિઓનો સામનો કરવાના પ્રયત્નો પર કેન્દ્રિત હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

જામનગર : મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયુ,294 મકાનોના દબાણો દૂર કરવાની કાર્યવાહીથી ફફડાટ

ડિમોલેશનમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છે, અને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો

New Update
  • મનપાની મેગા ડિમોલેશનની કાર્યવાહી

  • બચુ નગરમાં શરૂ કરવામાં આવી કાર્યવાહી   

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા

  • 294 મકાનોના દબાણો પર ચાલ્યું બુલડોઝર

  • તંત્રની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ 

જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુ નગર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહીને પગલે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છેઅને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતીઅને ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.ખાસ કરીને બચુ નગર વિસ્તારમાં અંદાજે 294 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિશો આપી દેવામાં આવી હતીઅને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતીજે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારથી મેગા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Latest Stories