Connect Gujarat
ગુજરાત

આઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75 રૂપિયામાં જમવાનું !

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે.

X

.સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. તારીઝ 15મી ઓગષ્ટના રોજ હોટલ સિલ્વર લિફમાં માત્ર 75 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે

સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદીના આ અપ્રતિમ અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રિય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લિફ દ્વારા વિશેષ ઓફર આપવામાં આવી છે જેમાં તારીખ 15 ઓગષ્ટના રોજ ગ્રાહકોને માત્ર 75 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે. જેમાં પંજાબી,સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે. આ અંગે હોટલ સિલ્વર લિફના મેનેજર પ્રભાત ત્યાગીએ જણાવ્યુ હતું કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી રહયો છે ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

Next Story