ગુજરાતના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ : કૃષિમંત્રી રાઘવજી પટેલ

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છે, 

New Update
  • રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતેથી કરાવશે શુભારંભ

  • 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 3.33 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

  • ઓનલાઇન નોંધણી માટે તા. 10મી નવેમ્બર છે અંતિમ દિવસ

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આપી વિસ્તૃત માહિતી

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છેત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આગામી તા. 11મી નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3.33 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356,60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેએક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4 હજાર કિ.ગ્રા એટલે કે200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશેજે અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ ખેડૂત જોગ વિસ્તૃત માહિતી આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.