ગુજરાતના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ : કૃષિમંત્રી રાઘવજી પટેલ

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છે, 

New Update
  • રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતેથી કરાવશે શુભારંભ

  • 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 3.33 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

  • ઓનલાઇન નોંધણી માટે તા. 10મી નવેમ્બર છે અંતિમ દિવસ

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આપી વિસ્તૃત માહિતી

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છેત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આગામી તા. 11મી નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3.33 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356,60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેએક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4 હજાર કિ.ગ્રા એટલે કે200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશેજે અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ ખેડૂત જોગ વિસ્તૃત માહિતી આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.