પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...

મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.

New Update
પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...

મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ખેડૂતે પોતાની 15 વીઘા જમીનમાં બાગાયતી ખાતાની સહાય અને માર્ગદર્શન થકી દાડમના 3 હજાર છોડનું વાવેતર કરી સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉન્નતીની કેડી કંડારી છે.

Advertisment

પંચમહાલ જિલ્લાના અન્ય ખેડૂતો માટે શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ પટેલ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન તેમના ખેતરમાં દાડમનો પાક ઝૂમી રહ્યો છે. વર્ષો પહેલા તેમણે બનાસકાંઠા જિલ્લા ખાતે દાડમની આધુનિક ખેતી જોઈને પોતે મનમાં નક્કી કર્યું હતું કે, મારે પણ આ પદ્ધતિથી દાડમની ખેતી કરવી છે. આ માટે તેમણે જિલ્લા બાગાયત વિભાગનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી તે દિશામાં નક્કર યોજના બનાવીને કામગીરી હાથ ધરી હતી. જે બાદ તેઓએ વર્ષ 2020માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 3 હજાર ભગવાસિંદુરી જાતના દાડમના રોપા લઈ આવીને વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ તેમને અંદાજીત રૂ. 4 લાખનો ખર્ચ થયો હતો. જેમાં જિલ્લા બાગાયત વિભાગના સહયોગથી સરકારની ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો સહાય યોજના હેઠળ 55 ટકા સહાય અંતર્ગત 70 હજાર રૂપિયાની સહાય મેળવી હતી. આ સાથે તેમણે ટ્રેક્ટર ઓપરેટ દવા છાંટવાના પંપમાં પણ રૂ. 50 હજારની સહાય મેળવી હતી. જોકે, ખેતરમાંથી ચાલુ વર્ષે અંદાજીત 10ટન જેટલું દાડમનું ઉત્પાદન મળશે, જેમાં તેઓ 4 લાખના ખર્ચ સામે અંદાજીત રૂ. 20 લાખની આવક મેળવશે. એટલું જ નહીં, દાડમના 1 છોડ પર 15થી 20 કિલો દાડમનું ઉત્પાદન મળશે તેવી ખેડૂતને આશા છે. જેથી કહી શકાય કે, જવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળીને આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment