પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...

મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.

New Update
પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...

મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ખેડૂતે પોતાની 15 વીઘા જમીનમાં બાગાયતી ખાતાની સહાય અને માર્ગદર્શન થકી દાડમના 3 હજાર છોડનું વાવેતર કરી સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉન્નતીની કેડી કંડારી છે.

પંચમહાલ જિલ્લાના અન્ય ખેડૂતો માટે શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ પટેલ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન તેમના ખેતરમાં દાડમનો પાક ઝૂમી રહ્યો છે. વર્ષો પહેલા તેમણે બનાસકાંઠા જિલ્લા ખાતે દાડમની આધુનિક ખેતી જોઈને પોતે મનમાં નક્કી કર્યું હતું કે, મારે પણ આ પદ્ધતિથી દાડમની ખેતી કરવી છે. આ માટે તેમણે જિલ્લા બાગાયત વિભાગનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી તે દિશામાં નક્કર યોજના બનાવીને કામગીરી હાથ ધરી હતી. જે બાદ તેઓએ વર્ષ 2020માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 3 હજાર ભગવાસિંદુરી જાતના દાડમના રોપા લઈ આવીને વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ તેમને અંદાજીત રૂ. 4 લાખનો ખર્ચ થયો હતો. જેમાં જિલ્લા બાગાયત વિભાગના સહયોગથી સરકારની ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો સહાય યોજના હેઠળ 55 ટકા સહાય અંતર્ગત 70 હજાર રૂપિયાની સહાય મેળવી હતી. આ સાથે તેમણે ટ્રેક્ટર ઓપરેટ દવા છાંટવાના પંપમાં પણ રૂ. 50 હજારની સહાય મેળવી હતી. જોકે, ખેતરમાંથી ચાલુ વર્ષે અંદાજીત 10ટન જેટલું દાડમનું ઉત્પાદન મળશે, જેમાં તેઓ 4 લાખના ખર્ચ સામે અંદાજીત રૂ. 20 લાખની આવક મેળવશે. એટલું જ નહીં, દાડમના 1 છોડ પર 15થી 20 કિલો દાડમનું ઉત્પાદન મળશે તેવી ખેડૂતને આશા છે. જેથી કહી શકાય કે, જવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળીને આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલા-મહુવા રોડ પર 2 લોકોને કચડી મારનાર કાર ચાલક ઝડપાયો, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન...

મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

New Update
  • સાવરકુંડલાના મહુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના

  • કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું

  • ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • CCTV ફૂટેજના આધારે પોલીસે કરી કારચાલકની ધરપકડ

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું હતુંજ્યારે ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફહિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર 2 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે બીજા દિવસે 15 વર્ષીય જય જોશીનું સારવાર દરમ્યાન મોત નીપજતા અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા.

એક જ પરિવારના 5 સભ્યોમાં 2 લોકોના મોત થયા છેજ્યારે હજુ 3 વર્ષીય બાળકી રિવા જોશીકેતન જોશી અને રિદ્ધિ જોશી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તો બીજી તરફગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે CCTVના આધારે કાર ચાલક અનક વાળાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી અનક વાળાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. કારથી કેવી રીતે અક્સ્માત સર્જાયો તે મુદ્દે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી હતી. મોતના સાંઢની માફક ચલાવતા કાર ચાલક અનક વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories