પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ

રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું

New Update
પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ

પંચમહાલના ઘોઘંબા નજીક આવેલા રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતું હોવાના મામલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. પંચમહાલના ઘોઘંબા નજીક આવેલા રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું જેવી ફરિયાદો જવાબદાર અધિકારીઓને અવારનવાર કરી હોવા છતાં તે ફરિયાદોને ધ્યાને લઇ તેનું કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા રીંછીયા ગામના લોકોએ સસ્તા અનાજની દુકાન ઉપર જનતા રેડ પાડી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


ગ્રામજનોની ફરીયાદ છે કે તેઓના હકનું અનાજ તેઓને આપવાને બદલે વહેલી સવારે ખાનગી વાહન દ્વારા વગે કરી કાળા બજારમાં વેચી દેવામાં આવે છે. અનાજ લેવા આવેલા ગ્રાહકોને અનાજ આપવાને બદલે અલગ અલગ રીતે બહાના કાઢી અને પરત મોકલી દેવામા આવે છે. જો કે ગ્રામજનો દ્વારા કરવામાં આવતી ફરીયાદો પાયા વિહોણી હોવાનું દુકાન સંચાલક જણાવી રહ્યા છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.