પંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ...

કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું,

New Update
પંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ...

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું, ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામે કોટાવેડા ફળિયામાં રહેતા પ્રદીપ ઉર્ફે બુધા પરમારને પોતાની પત્નીના તેમના જ કૌટુંબિક કુંવારા ભાઈ નટવર પરમાર સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો, ત્યારે બાબતની રીસ રાખી પ્રદીપ પરમારે હાથમાં દંડો લઈ નટવર પરમારના ઘરે પહોંચ્યો હતો, જ્યાં નટવર પરમારને અપશબ્દો બોલી ઉગ્ર ઝગડો કરીને મારામારી કરી હતી. આ દરમ્યાન પ્રદીપ પરમારે નટવર પરમારના માથામાં અને શરીરે લાકડીના ફટકા મારી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે નટવર પરમારને ગંભીર ઇજા પહોચતા તેઓને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના સ્વજનોએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દોડતી થઈ હતી. જેમાં હત્યા સંબંધી તપાસ માટે હાલોલ ડીવાયએસપી બાકરોલ ગામે દોડી આવ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે હત્યારા પ્રદીપ પરમારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment