રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં ખામી સર્જાઈ
શાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના એન્જિનમાં સર્જાઈ ખામી
ટ્રેન બંધ પડતા રેલવે યાત્રીઓની પરેશાની વધી
રેલવે વિભાગ દ્વારા સહકાર ન આપતા પેસેન્જરોમાં રોષ
ટ્રેનની ક્ષતિ દૂર કર્યા બાદ ટ્રેન થઈ રવાના
રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. ટ્રેન શરૂ ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી. ટ્રેન શરૂ ન થતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવે વિભાગના બેદરકાર વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, રાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, કલાકો વિતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
વધુમાં આ સમય દરમિયાન મુસાફરો,અને નાના બાળકો ખૂબ જ હેરાન થયા હતા. ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.તેમજ રેલવે તંત્ર સામે મુસાફરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો,જાણવા મળ્યા મુજબ કલાકોની જહેમત બાદ ટ્રેનની ક્ષતિ દૂર કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.