પાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થિનીનું મોત !
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું
BY Connect Gujarat Desk22 Aug 2023 11:02 AM GMT
X
Connect Gujarat Desk22 Aug 2023 11:02 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી ધોરણ છની વિદ્યાર્થી અસ્મિતાબેન અમરતભાઈ ઠાકોર ઉંમર વર્ષ 11 નું ડેન્ગ્યુના કારણે મોત નિપજયુ હતુ. શાળાએથી અભ્યાસ કરીને આવ્યા બાદ તાવ આવતા સારવાર માટે રાધનપુર ખાતે આવેલ સદારામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. રાધનપુર પ્રાઇવેટ લેબોરેટરી ખાતે તેનો રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો.સદારામ હોસ્પિટલ ના ડોક્ટર ગોવિંદજી ઠાકોરના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન દીકરીનું મોત નિપજયુ હતુ. આ અંગેની જાણ થતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ હતુ
Next Story