Connect Gujarat
ગુજરાત

પાટણ : વિરાટ ધર્મસભા પ્રસંગે યોજાય જગતગુરૂ સ્વામી શંકરાચાર્યજીની ભવ્ય શોભાયાત્રા…

પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતમાં જગતગુરૂ સ્વામી શંકરાચાર્યજીની ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.

પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણ રેલવે સ્ટેશનથી જૂના ગંજ સુધી જગતગુરું સ્વામી શંકરાચાર્યજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં બાળાઓ કળશ લઈને જગતગુરુ સ્વામી શંકરાચાર્યજીની શોભાયાત્રામાં જોડાય હતી. આ સાથે શોભાયાત્રામાં દૂર્ગા વાહિનીની દીકરીઓ તલવારબાજીના કરતબ માટે જોડાય હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આપના માટે આંનદનો દિવસ છે કે, 25 વર્ષ પછી આપણા આંગણે આવો ભવ્ય અવસર આવ્યો છે. આપણી વચ્ચે જગદગુરુ શંકરાચાર્ય સાક્ષાત હાજર હોય, ત્યારે તેઓ આપણને ધર્મના જ્ઞાનથી તરબોળ કરશે. ગાય માતા, ધાર્મિક કાર્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે યોગદાન આપવા માટે હું હંમેશા તત્પર જ છું. એવું સાંભળવા મળ્યું છે કે, ધર્મસભામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ હાજર હોય છે, ત્યારે આપણે પણ ધર્મસભાનો લાભ લઇને સેવાકીય પ્રવૃતિઓથી આપના મનને પ્રફુલિત કરીએ. આ પ્રસંગે અનંત શ્રી દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય, સંતો અને મહંતો, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટ પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો દશરથ ઠાકોર સાથે અન્ય પદાધિકારીઓ, જગન્નાથ ટ્રસ્ટના ટ્રસ્ટી વિષ્ણુ આચાર્ય તેમજ મોટી સંખ્યામાં પાટણ જિલ્લાની ધર્મપ્રેમી જનતાએ હાજર રહીને ધર્મસભાનો લાભ લીધો હતો.

Next Story