Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો...

અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

X

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ પાલનપુર રોડ ઉપર જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે ગામ લોકોના સંયોગથી આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ બાબુજી ઠાકોર દ્વારા અને ગામના સરપંચ તેમજ યુવાનો દ્વારા પદયાત્રીકો માટે રહેવા જમવા, ચા-પાણી નાસ્તો, આરોગ્યની સુવિધા, માલિશની સુવિધા જેવી અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે. જેનો લાભ લેતા પદયાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Next Story