Connect Gujarat
ગુજરાત

પાટણ : વિધાનસભા અધ્યક્ષના પિતા સ્વ. લગધીરભાઈ ચૌધરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

X

રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે પહોચ્યા રાજ્યપાલ

વિધાનસભા અધ્યક્ષના સ્વ. પિતાને અર્પણ કરાય શ્રદ્ધાંજલિ

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો રહ્યા ઉપસ્થિત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતા સ્વ. લગધીરભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાજરી આપી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પિતા સ્વ. લગધીરભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના નિવાસસ્થાને ગુજરાતના માહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હાજરી આપી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓની સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના રાજ્યપાલ વડનગર ખાતે આવી પહોચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story