જૂનાગઢ: રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાયા

કમલેશ ઠુમ્મર આંખના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ઓપરેશન પૂર્વે જ્યારે તેઓ રેસ્ટ માટે બેડ પર હતા ત્યારે આ બનાવ બન્યો

New Update

ભાજપનું સદસ્યતા અભિયાન

દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાયા

રાજકોટ હોસ્પિટલનો બનાવ

ઓટીપી લઇ જાણ બહાર જ સભ્ય બનાવાયા

વિડીયો બહાર આવ્યો

રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે ગયેલ દર્દીને ભાજપના સદસ્ય બનાવી દેવાયા હોવાનું બહાર આવતા વિવાદ સર્જાયો છે. જૂનાગઢના ખલિલ પૂર ચોકડી નજીક રહેતા કમલેશ ઠુંમ્મરને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Advertisment
કમલેશ ઠુમ્મર આંખના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ઓપરેશન પૂર્વે જ્યારે તેઓ રેસ્ટ માટે બેડ પર હતા ત્યારે આ બનાવ બન્યો હતો. એક યુવાન ત્યાં આવી પહોંચ્યો હતો અને અનેક દર્દીઓને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દીધા હોવાનો કમલેશ ઠુમ્મરે દાવો કર્યો છે.
યુવાને પેહલા મોબાઈલ નંબર માંગ્યો હતો અને બાદમાં જયારે મોબાઈલમાં Otp આવતા કમલેશ ઠુમ્મરને આ બાબતે જાણ થઈ હતી.કમલેશના આક્ષેપ અનુસાર 250થી વધુ લોકોને આ રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.
Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.