વલસાડ : વાપીની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો

New Update
  • વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝને મળી હતી ધમકી

  • ધમકી આપનારની પોલીસે કરી ધરપકડ

  • ઉત્તર પ્રદેશ પોલીસને ધમકી ભર્યો આપ્યો હતો મેસેજ

  • કંપનીમાં કામ કરતા કામદારે જ રચ્યું હતું તરકટ

  • પોતાના મિત્રને ફસાવવા માટે કર્યું કારસ્તાન

વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલા મોરાઈની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં  આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે.

વલસાડ જિલ્લાના વાપીના છેવાડે મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે.આ કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો .આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા મેસેજની જાણ કરી હતી.આથી ગુજરાત પોલીસ કંટ્રોલરૂમ દ્વારા વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો. અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસ કરી હતી.જોકે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો,પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી.આ આરોપી આલોક કંપનીમાં જ કામ કરે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તરકટ રચ્યું હતું.અને પોતાના મિત્ર ધનંજય કુશવાહાના ફોન નંબરનો ઉપયોગ કરીને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમમાં આ મેસેજ કર્યો હતો.અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે,તેવી ધમકી આપી હતી.

પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા.હર્ષ તિવારીએ ધનંજય કુશવાહને થોડા દિવસ તેની રૂમ પર રાખ્યો હતો.આ દરમિયાન બંને વચ્ચે હિસાબના 600 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જો કે ધનંજય કુશવાહાએ 600 રૂપિયા પરત નહીં આપતા આખરે હર્ષ તિવારીએ પોતાના જ મિત્રને ફસાવવા આ ષડયંત્ર રચ્યું હતું.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.