વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

author-image
By Connect Gujarat Desk
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ત્યાર બાદ PM મોદીએ કચ્છમાં સરહદ પર ફરજ બજાવતા સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાતમાં કચ્છની સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.તેઓએ આ પ્રસંગે જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.તેમણે પોસ્ટ કરી હતી કેતમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રકાશના પવિત્ર તહેવાર પર હું દરેકને સ્વસ્થસુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે તેવી પોસ્ટ કરીને પ્રાર્થના કરી હતી.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.