/connect-gujarat/media/post_banners/b46cf134f443ad0a7cb0808d584499d482f74a7d904ee79c87b13785e1c30a00.webp)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે ગાંધીધામ અને જૂનાગઢમાં અલગ-અલગ જાહેરસભાઓને સંબોધી હતી. જે બાદ કેજરીવાલે રાજકોટના ખોડલધામ ખાતે ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમના પર પાણીની બોટલ ફેંકવામાં આવી હતી. મુખ્યમંત્રી પર બોલાચાલી કરતા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખોડલધામમાં નવરાત્ર નિમિત્તે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ પહોંચ્યા હતા. તે જ સમયે કેજરીવાલ હાજર લોકોનું અભિવાદન સ્વીકારવા હાથ હલાવી રહ્યા હતા. ત્યારે કોઈએ તેના પર પાણીની બોટલ ફેંકી. સદ્ભાગ્યે, પાણીની બોટલ તેને વાગ્યા વિના તેના માથા પરથી પસાર થઈ ગઈ હતી. તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીની સાથે તેમના સુરક્ષા અધિકારીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. AAPના મીડિયા સંયોજક સુકનરાજે કહ્યું કે બોટલ દૂરથી ફેંકવામાં આવી હતી. તે કેજરીવાલના માથા પરથી પસાર થઈ ગઈ હતી. તેણે કહ્યું કે અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે બોટલ જાણી જોઈને તેના પર ફેંકવામાં આવી હતી. આ ઘટના અંગે હજુ સુધી પોલીસને જાણ કરવામાં આવી નથી.