શક્તિપીઠ પાવાગઢમાં મેન્ટેનન્સના કામ અર્થે 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે,

New Update

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છેમાતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે,ત્યારે રોપ વે સેવા બંધ રહેતા ભક્તોએ હાલાકીનો સામનો કરવો પડશે.

Advertisment

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે વાર તહેવાર પ્રસંગે ભક્તોનું  કિડીયારું ઉભરાય છે. માતાજીના દર્શન ભક્તો વિઘ્ન રહિત અને આરામદાયક રીતે  કરી શકે તે માટે રોપ વે સેવાની સુવિધા આપવામાં આવી છે,પરંતુ શ્રાવણ મહિનાના પ્રારંભ અને તહેવારોમાં ભક્તોની ભીડ અને તેની સેવામાં કોઈ ઉણપ ન રહે તેવા આશય સાથે  ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનું મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે,અને આગામી તારીખ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે,અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ એટલે કે તારીખ 11 મી ઓગસ્ટ થી રોપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે,જે અંગે ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા માહિતી આપવામાં આવી હતી.     

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment