શક્તિપીઠ પાવાગઢમાં મેન્ટેનન્સના કામ અર્થે 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે,

New Update

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છેમાતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે,ત્યારે રોપ વે સેવા બંધ રહેતા ભક્તોએ હાલાકીનો સામનો કરવો પડશે.

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે વાર તહેવાર પ્રસંગે ભક્તોનુંકિડીયારું ઉભરાય છે. માતાજીના દર્શન ભક્તો વિઘ્ન રહિત અને આરામદાયક રીતેકરી શકે તે માટે રોપ વે સેવાની સુવિધા આપવામાં આવી છે,પરંતુ શ્રાવણ મહિનાના પ્રારંભ અને તહેવારોમાં ભક્તોની ભીડ અને તેની સેવામાં કોઈ ઉણપ ન રહે તેવા આશય સાથે  ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનું મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે,અને આગામી તારીખ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે,અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ એટલે કે તારીખ 11 મી ઓગસ્ટ થી રોપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે,જે અંગે ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા માહિતી આપવામાં આવી હતી.     

Read the Next Article

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..

New Update
  • પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે લોકો ભક્તિભાવમાં તણાયા

  • જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો અનોખો સંકલ્પ

  • શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવામાં આવશે

  • સુંદરકાંડ પાઠ દ્વારા ભક્તજનોને ધાર્મિક ઉર્જાનો અનુભવ થશે

  • દરરોજ સુંદરકાંડ પાઠની પહેલ લોકો માટે પ્રેરણારૂપ બની

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છેત્યારે તેઓની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છેત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનું નિશ્ચય કર્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ ઝાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો.

ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીંપણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે. સંદીપ પુરાણીનું માનવું છે કેશ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છેઅને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. આ પહેલ અન્ય ઘરોસંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.