![સાબરકાંઠા : 2 દીકરાઓએ કોદાળીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, માતાએ નોંધાવી ફરિયાદ...](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/7b132bfd746867e74351ec4c7d964df8c9888937e159dfeba32d28d07879d635.jpg)
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 દીકરાઓએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 24 કલાકમાં જ હત્યાની 2 ઘટનાઓ સામે આવી છે. વક્તાપુર ગામની ઘટનામાં પિતાને તેના જ 2 પુત્રોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યા છે. માતાએ આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. દારૂ પિધેલી હાલતમાં ઘરમાં કંકાસ કરતા હોવાને લઈ ગુસ્સે ભરાયેલા પુત્રોએ જ પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માતા સાથે ઘર્ષણ કરતા પિતા નારાયણ રાવળની વચ્ચે પડીને બંને પુત્રો અર્જુન અને મુકેશ રાવળે લાકડીનો માર માર્યો હતો. બચાવમાં પિતા ગામમાં નાસી છૂટતા પિછો કરી દીકરાઓએ પિતાને માથામાં કોદાળીના ઘા ઝીંક્યા હતા. જીવન મરણ હાલતમાં પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પિતાનું મોત નીપજ્યું હતું. આમ દારુના કારણે સગા પુત્રો જ પિતાની હત્યા કરવા માટે મજબૂર બન્યા હતા, ત્યારે પિતાની હત્યા કરનાર 2 દીકરાઓની હિંમતનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.