સાબરકાંઠા : નાદરીમાં અજાણ્યા શખ્સોનું હીનતાભર્યું કૃત્ય, ગાયનું માથું વાઢીને લઇ જતા સનસનાટી મચી,પોલીસે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની સાથે લઇ ગયા હતા.

New Update
  • નાદરીમાં ગાયની ક્રૂરતા પૂર્વક હત્યા

  • અજાણ્યા શખ્સો ગાયનું માથું વાઢીને લઇ ગયા

  • ઘટનાને પગલે અજંપાભરી શાંતિનો મહોલ

  • બનાવને પગલે હિન્દૂ સંગઠનોમાં રોષ

  • પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકીને શરૂ કરી તપાસ  

Advertisment W3.CSS

સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની સાથે લઇ ગયા હતા. જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અજંપા ભર્યો માહોલ સર્જાય ગયો હતો.અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

સાબરકાંઠાના વડાલીના નાદરી ગામમાં એક પશુપાલકના શેડ માંથી ગાયની ક્રૂર હત્યા અને તેનું માથું ચોરી થવાનો પ્રથમ કિસ્સાએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ આરોપીઓ સામે મૂળભૂત કાર્યવાહી કરી રહી છે. બીજી તરફનાદરી ગામમાંએક પશુપાલકની ગાયની તબેલામાં હત્યા કરવામાં આવી હતીઅને તેનું માથું અજાણ્યા લોકો દ્વારા ચોરી લેવામાં આવ્યું હતુંજેના કારણે પશુપાલકો સહિત સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. હાલમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વડાલી પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સથી લઈને ડોગ સ્ક્વોડ સુધીની ટીમો તૈનાત કરવામાં આવી છે.ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોને અફવાઓથી દૂર રાખવા માટે પગલા લીધા છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં