-
નાદરીમાં ગાયની ક્રૂરતા પૂર્વક હત્યા
-
અજાણ્યા શખ્સો ગાયનું માથું વાઢીને લઇ ગયા
-
ઘટનાને પગલે અજંપાભરી શાંતિનો મહોલ
-
બનાવને પગલે હિન્દૂ સંગઠનોમાં રોષ
-
પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકીને શરૂ કરી તપાસ
સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની સાથે લઇ ગયા હતા. જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અજંપા ભર્યો માહોલ સર્જાય ગયો હતો.અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
સાબરકાંઠાના વડાલીના નાદરી ગામમાં એક પશુપાલકના શેડ માંથી ગાયની ક્રૂર હત્યા અને તેનું માથું ચોરી થવાનો પ્રથમ કિસ્સાએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ આરોપીઓ સામે મૂળભૂત કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ, નાદરી ગામમાં, એક પશુપાલકની ગાયની તબેલામાં હત્યા કરવામાં આવી હતી, અને તેનું માથું અજાણ્યા લોકો દ્વારા ચોરી લેવામાં આવ્યું હતું, જેના કારણે પશુપાલકો સહિત સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. હાલમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડાલી પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સથી લઈને ડોગ સ્ક્વોડ સુધીની ટીમો તૈનાત કરવામાં આવી છે.ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોને અફવાઓથી દૂર રાખવા માટે પગલા લીધા છે.