સાબરકાંઠા : હિંમતનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગઢોડા પ્રાથમિક શાળાના નં 2 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતે હાજરી આપીને ગામ લોકો સાથે સ્વચ્છતા અંગે સંવાદ કર્યો

New Update
  • હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ 

  • રાજ્યપાલ દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

  • રાજ્યપાલ સહિતના આગ્રણીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

  • રાજ્યપાલે ગામ લોકો સાથે કર્યો સ્વચ્છતા અંગે સંવાદ 

  • દરેક પરિવારને સ્વચ્છતાનો સંકલ્પ કરવા કરી અપીલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યપાલ સહિતના અગ્રણીઓએ ગામના માંડવી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

ત્યારબાદ ગઢોડા પ્રાથમિક શાળાના નં 2 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતે હાજરી આપીને ગામ લોકો સાથે સ્વચ્છતા અંગે સંવાદ કર્યો હતો.જેમાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે પ્રત્યેક પરિવાર એક સ્વચ્છતાનો સંકલ્પ કરવા માટે અપીલ કરી હતી,તેમજ શુભ દિવસોની ઉજવણી સૌ કોઈએ એક ઝાડ વાવીને કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.