સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે આયુષમેળો તથા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ૨૩ ફેબુઆરીના રોજ આયુર્વેદિક આયુષ મેળો તથા આયુષ નિદાન સારવાર કેમ્પ યો
BY Connect Gujarat Desk24 Feb 2023 6:02 AM GMT
X
Connect Gujarat Desk24 Feb 2023 6:02 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ૨૩ ફેબુઆરીના રોજ આયુર્વેદિક આયુષ મેળો તથા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સાબરકાંઠા તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ પ્રાંતિજ અને હિંમતનગર દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તબીબી માર્ગદર્શન આપી નિદાન કરવામાં આવ્યું હતું.આયુષ મેળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સર્વરોગ નિદાન અને તેના નિવારણ માટે વિનામુલ્યે દવાઓનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ
Next Story