સાબરકાંઠા : તસ્કરો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ થઈ જાઓ સાવધાન..! જિલ્લામાં લાગશે 328 CCTV કેમેરા

વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ એટલે બીજા ચરણમાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

New Update
સાબરકાંઠા : તસ્કરો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ થઈ જાઓ સાવધાન..! જિલ્લામાં લાગશે 328 CCTV કેમેરા

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ એટલે બીજા ચરણમાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ જેમાં ત્રણ તાલુકામાં 328 સીસીટીવી કેમેરા મંજુર કરાયા છે.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકામાં સીસીટીવી કેમેરા બેસાડવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં હિંમતનગરમાં 143, ઇડરમાં 114 અને ખેડબ્રહ્મામાં 81 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જોકે, અગાઉ વિશ્વાસ પ્રોજેકટ ફેઝ વન દ્વારા 149 સીસીટીવી હિંમતનગર શહેરમાં લાગવવમાં આવ્યા હતા. ત્યારબાદ શહેરનો વિકાસ થતા 143 કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, સીસીટીવી કેમેરાની સૌથી મહત્વનો ભાગ ગુન્હાઓ ડિટેકશન કરવા જેવા કે ચોરી, લૂંટ, ગુમ થયેલા વ્યક્તિ અને ટ્રાફિક સહિત અન્ય ગુન્હાઓમાં પોલીસને મદદ મળી રહે છે, ત્યારે હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે નેત્રમ પ્રોજેકટ દ્વારા આ CCTVનું સંચાલન કરવામાં આવશે.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.