સાબરકાંઠા:હિંમતનગર એસટી વિભાગીય કચેરીના આઠ ડેપો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
જીલ્લાના મુખ્ય ડેપો હિંમતનગર ખાતે આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યુ છે તો મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે
BY Connect Gujarat Desk23 Aug 2023 6:26 AM GMT
X
Connect Gujarat Desk23 Aug 2023 6:26 AM GMT
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય ડેપો હિંમતનગર ખાતે આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યુ છે તો મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે.
હિંમતનગર એસ ટી ડેપો ખાતે કચેરીની સુચના અનુસાર સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં સમગ્ર એસટી ડેપો કેમ્પસ, તમામ રૂમ, સૌચાલય સહિત તમામ જગ્યાએ આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. ડેપો મેનેજર દ્રારા તમામ જગ્યાએ રૂબરૂ મુલાકાત લઈ સાફ સફાઈ કરાવવામાં આવી છે તો બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે અને ઠેર ઠેર ગંદકી ન કરવાના બેનર પણ લગાડવામાં આવ્યા છે. તો સાથે બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને પણ અપીલ કરવામાં આવે છે કે પ્લાસ્ટિક સહિતનો કચરો જેમ તેમ ન નાખવો તે પણ જણાવી રહ્યા છે.તો હિંમતનગર સહિત જીલ્લા ના તમામ ડેપોમાં પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવશે આજ રીતે દરરોજ સાફ સફાઈ હાથ ધરાશે
Next Story