સાબરકાંઠા : રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરીની આગેવાનીમાં મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું

તલોદ ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું, વિરોધ પહેલા જ કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

New Update
સાબરકાંઠા : રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરીની આગેવાનીમાં મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું

દેશમાં રોજબરોજ વધતી જતી મોંઘવારી સામે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરી તેમજ ગુજરાત પ્રભારી ઇન્ચાર્જની હાજરીમાં રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, રેલી નીકળે તે પહેલાં જ તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરી તેમજ ગુજરાત પ્રભારી ઇન્ચાર્જ જિતેન્દ્ર બઘેલની આગેવાનીમાં મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમ્યાન આમ આદમી પાર્ટીને ભાજપની બી' ટીમ જણાવી, કોરોના કાળમાં નિષ્ફળ નીવડેલી સરકાર સામે પણ આક્ષેપ કર્યા હતા. વર્ષ 2022ની ચૂંટણી પહેલા સાબરકાંઠાથી જાણે કે, કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોય, તે પ્રકારે કેન્દ્રીય કોંગ્રેસ કમિટીના સેક્રેટરીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય અને કેન્દ્રની સરકારને આડે હાથે લેતા જીતેન્દ્ર બધેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ ભાજપની પાર્ટી છે. સાથોસાથ કોરોના મહામારી દરમ્યાન મોટાભાગના લોકોને ઘણું નુકશાન ભોગવવાનો વારો છે. તો સાથે જ હાલની મોંઘવારીના પગલે સ્થાનિક જનતા પારાવાર પીડા સહન કરી રહી છે. જેના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ છે. કોંગ્રેસ આ મામલે મોંઘવારી પર જ્યાં સુધી કાબૂ ન આવે, ત્યાં સુધી ભાજપ સામે લડત આપતી રહેશે તેમ જીતેન્દ્ર બધેલે જણાવ્યુ હતું. જોકે, વિરોધ પ્રદર્શન રેલી નીકળે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

Latest Stories