સાબરકાંઠા: પેપરલીક કૌભાંડમાં સામે 8 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

પેપર લીક કૌભાંડ 8 આરોપીઓની ધરપકડ આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ આરોપીના ઘરેથી મળ્યા રૂ.23 લાખ

New Update
સાબરકાંઠા: પેપરલીક કૌભાંડમાં સામે 8 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક ની પરીક્ષાનું પેપર લીક થવાને મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીઓને આજરોજ કોરટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર લીક થવા મામલે સાબરકાંઠા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આઠ આરોપીની ધરપકડ કરી છે સાથે જ બીજા ત્રણ આરોપીની ધરપકડ બાકી છે એમની ધરપકડ માટે તપાસ થઈ રહી છે તો બીજી તરફ પકડાયેલા આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરી 23 લાખ રૂપિયા કબજે કર્યા છે અને હજુ પણ આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે જેમાં હજુ વધુ નામો ખુલશે અને પોલીસે પણ વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા સેવી છે

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.