સાબરકાંઠા : જંગલી ભૂંડનો ખેડૂતો પર જીવલેણ હુમલો, પાકને પણ પહોચાડ્યું વ્યાપક નુકશાન...

સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે,

New Update
સાબરકાંઠા : જંગલી ભૂંડનો ખેડૂતો પર જીવલેણ હુમલો, પાકને પણ પહોચાડ્યું વ્યાપક નુકશાન...

સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે, જ્યારે ખેતરમાં કામ કરી રહેલ એક મહિલા અને બે પુરૂષો સહિત ત્રણ લોકો પર જંગલી ભૂંડે હુમલો કરતાં ઇજા પામ્યા છે.

સાબરકાંઠા જિલ્લો મોટાભાગે જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં રીંછ, દીપડા, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ રાત્રીના સમયે ખેતરોમાં ધસી આવે છે. એટલું જ નહીં, આ પ્રાણીઓ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પણ પહોચાડે છે. થોડા દિવસો પહેલા રામપુરમાં ખેતરમાં કામ કરતા શ્રમિકો પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. જેમાં શ્રમિકોને શરીરેથી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ સાથે જ ખેતરમાં રહેલા પાકને પણ ભારે નુકશાન પહોચાડ્યું હતું.

હિંમતનગરના ડુંગરાળ વિસ્તાર હિંમતપુર સહિત આજુબાજુના ગામોમાં જંગલી ભૂંડ અને નીલગાયના કારણે પાકને ભારે નુકશાન થયું છે. આ વખતે પાકનું ઉત્પાદન ઓછું થયું છે. તો બીજી તરફ, જંગલી પ્રાણીઓએ પાકને નુકશાન પહોચાડ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે સહાય વળતરની માંગ કરવામાં આવી છે. જોકે, વિવિધ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ખેડૂતોને લાભ મળે છે, પરંતુ આ વખતે સરકાર ખેડૂતોને રાહત આપે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.

Latest Stories