સાબરકાંઠા: હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
સાબરકાંઠા: હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે

સાબરકાંઠાના હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ શ્રી કુબેરધામ ખાતે 8 થી 11 ઓક્ટોમ્બર દરમિયાન ચાર દિવસ મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રારંભ આજથી થયો છે. પાંચ દીવસ પહેલા બે ઓક્ટોમ્બરે યજ્ઞ શાળાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં 200 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે જવારા રોપણ પણ કરવામાં આવ્યું હતું. ધર્મ ધજા આરોહણ, વિષ્ણુપૂજા, હનુમંત પૂજા કરવામાં આવી હતી જયારે ચાર દિવસ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ આનંદમયી થયો છે. દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત પૂજા, વિષ્ણુ દેવતા આહવાહન પૂજા, હોમ કર્મ, અને દશ વિધિ સ્નાન પૂજા કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

Read the Next Article

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર,શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી

જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

New Update
12th Result

રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન,2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ'X'પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ,2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટgseb.orgપર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.

Latest Stories