સાબરકાંઠા : આર્થિક ભીંસમાં આવ્યા પાંજરાપોળ સહિત ગૌશાળા, ગૌસેવા સંધ દ્વારા પાઠવાયું તંત્રને આવેદન
વરસાદ ઓછો હોવાથી સમગ્ર જિલ્લો બન્યો દુષ્કાળગ્રસ્ત, ગૌશાળાઓ સહિત પાંજળાપોળોમાં પડી ઘાસચારાની ઘટ.
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો પડતા હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ગૌશાળાઓ અને પાંજળાપોળોમાં પશુ માટે ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને સમગ્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સાબરકાંઠા જિલ્લા ગૌસેવા સંધ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે મેઘરાજાએ રીસામણા લેતા ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં માત્ર સરેરાશ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો અને વરસાદ ન પડતા ખેતી સાથે પશુ ઘાસચારાની અછત ઉભી થઈ છે. ચોમાસુ સહિતનું વાવેતર ઓછુ થતા ઘાસચારાનું વાવેતર પણ ઓછુ થવાના કારણે રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ નિરામ પામી છે.
સાબરકાંઠાની ગૌશાળાઓ તથા પાંજળાપોળો આર્થિક ભીંસમાં હોવાથી પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય અને પશુધન મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી ભીતી સર્જાઇ રહી છે, ત્યારે સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ગૌશાળા સહિત પાંજરાપોળની વ્હારે આવે અને ગામડા સહિત શહેરોમાં રસ્તા ઉપર રખડતા તેમજ ભૂખથી પીડાતા પશુધન મોતના મુખમાં ન ધકેલાય તે માટે કેમ્પ ખોલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT