સાબરકાંઠા : હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ,200 ટન કરતા વધુ કચરો બહાર કાઢયો

નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

New Update
  • હાથમતી કેનાલમાં જામ્યા કચરાના ઢગ

  • કેનાલની દુર્ગંધથી લોકો હતા ત્રસ્ત

  • પાલિકા દ્વારા શરૂ કરાયું સફાઈ અભિયાન

  • ત્રણ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

  • કેનાલમાંથી 200 ટન કચરો ઉલેચ્યો   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ છે.જેમાં અત્યાર સુધી 200 ટન કરતા વધુ કચરો ઉલેચવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખદબદી રહી હતી.તો કેનાલ ફન્ટ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો છે.

કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા હતા.જેને લઈ જેસીબીની મદદથી 2 થી 5 ફુટ સુધીનો 200 ટન ઉપરાંત કચરો કઢાયો છે.હાલ તો ફ્રૂટ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.