Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સ્વ. અરવિંદ ત્રિવેદી અને સ્વ. નટુકાકાને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરાય

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સ્વ. અરવિંદ ત્રિવેદી અને સ્વ. નટુકાકાને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરાય
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ટીવી સિરિયલ રામાયણમાં રાવણ લંકેશનું પાત્ર ભજવનાર સ્વ. અરવિંદ ત્રિવેદી અને ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બખૂબી પાત્ર ભજવનાર નટુકાકાના થયેલ નિધન બદલ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

હિંમતનગર ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્કાઉટગાઈડ કમિશ્નર અને જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અતુલ દિક્ષિતે અરવિંદ ત્રિવેદી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સાથે જ બન્ને સ્વર્ગીય કલાકારોના જીવનમાંથી પ્રેરણા લેવા પણ લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના કલાકારો નિરંજન શર્મા, ભરત વ્યાસ, પ્રકાશ વૈદ, ગીરીશ દરજી, રાજુ લિમ્બચિયા, રાજન વ્યાસ, વસંત સોની, મેહુલ બારોટ અને અન્ય કલાકારોએ પણ ઉપસ્થિત રહી બન્ને સ્વર્ગીય દિગ્ગજ કલાકારોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story