સાબરકાંઠા: હિંમતનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહાપંચાયતનું કરવામાં આવ્યુ આયોજન
સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓની પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું
BY Connect Gujarat Desk10 Dec 2023 7:53 AM GMT
X
Connect Gujarat Desk10 Dec 2023 7:53 AM GMT
હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓની પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ગુજરાત દ્વારા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓ એકઠા થઈ પદયાત્રા સ્વરૂપે હિંમતનગર ટાવર ચોક નજીક આવેલ પરશુરામ પાર્કમાં એકઠા થયા હતા જ્યાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે એકઠા થયા હતા સાથે જ ગુજરાતના નવ સંવર્ગના લાંબા સમયથી ઉકેલ ન આવેલા વિવિધ પડતર પ્રશ્નોનોની પણ પંચાયતમાં ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ પણ જૂની પેન્શન યોજના બાબતે રાજ્ય સરકાર સાથે સમાધાન સાધવામાં આવ્યું હતું પરંતુ તેનો ઠરાવ ન કરવામાં આવતા ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે
Next Story