સાબરકાંઠા:ચાંદીપુરાના કહેરના પગલે સાંસદએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા

New Update

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુરા વાઈરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસીસ્ટન્ટ આર.એમ.ઓ. ડૉ. વિપુલ જાની જોડાયા હતા.સાંસદે દર્દીઓના ખબર અંતર પૂછી તેમના પરિવારજનો સાથે પણ વાત કરી હતી
Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.