New Update
સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુરા વાઈરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસીસ્ટન્ટ આર.એમ.ઓ. ડૉ. વિપુલ જાની જોડાયા હતા.સાંસદે દર્દીઓના ખબર અંતર પૂછી તેમના પરિવારજનો સાથે પણ વાત કરી હતી