સાબરકાંઠા : બેંક કર્મચારી પાસેથી રૂપિયા 15 લાખ ભરેલ બેગની લૂંટની ઘટનામાં બે આરોપીની પોલીસે કરી ધપરકડ,એક હજી ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રૂપિયા 15 લાખની લૂંટની ઘટના બની હતી.અને  ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી.

New Update
  • ઇડરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

  • રૂ.15 લાખની થઇ હતી લૂંટ

  • પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

  • ઘટનામાં હજી એક આરોપી છે ફરાર

  • આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ 

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રૂપિયા 15 લાખની લૂંટની ઘટના બની હતી.અને  ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે,અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં તારીખ 25ના રોજ બપોરના સમયે 15 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી.જેમાં પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.અને લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાય ગયા છે.જો કે એક આરોપી હજી ફરાર છે.બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો.તે દરમિયાન જ ઈડરના તિરંગા સર્કલથી કે એમ પટેલ વિદ્યામંદિર તરફ જતા બાઈક સવાર ત્રણ લૂંટારૂઓ દ્વારા બેંક કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો.બેંક કર્મચારી પાસે 15 લાખ રૂપિયા જેટલી રકમ હતી.જો કે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન્સ સર્વેલન્સની મદદથી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા ગયા છે.

બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. પકડાયેલા બે આરોપીઓ પૈકી કિરણકુમાર ચેનવા અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. જોકે અન્ય એક આરોપી પકડવાનો જે બાકી છે.તે આરોપી ભરૂચ ખાતેની લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ પાસેથી પોલીસે 11 લાખ 86 હજાર જેટલી રકમ રીકવર કરી છે.

આરોપીઓ દ્વારા લૂંટ ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર ફર્યા હતા અને ત્યારબાદ પરત હિંમતનગર આવી ત્રણ આરોપી 15 લાખ રૂપિયાની રકમના ભાગ પાડવાના હતા.તે અરસામાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા.જ્યારે એક આરોપી હાલ ફરાર છે.ફરાર આરોપીને પકડવા માટે પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.