સાબરકાંઠા : બેંક રિકવરી એજન્ટના ત્રાસથી સગર પરિવારનો માળો પીંખાયો,પોલીસે દુષ્પ્રેરણ માટેનો ગુન્હો નોંધી એક આરોપીની કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.

New Update
  • સાબરકાંઠામાં સગર પરિવારનો સામુહિક આપઘાતનો મામલો

  • પરિવારના સામુહિક આપઘાતમાં આવ્યો નવો વળાંક

  • પોલીસે દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો કર્યો દાખલ

  • બેંક રિકવરી એજન્ટ સહિત બે આરોપી સામે ગુન્હો નોંધાયો

  • પોલીસે એક આરોપીની કરી ધપરકડ અન્ય એક ફરાર

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસેHDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત 12 એપ્રિલે સગરવાસમાં વિનુ મોહનભાઇ સગરતેમની પત્ની કોકિલાબેનબે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી.આ સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોનાં મોત થયા હતા. પુત્રી કૃષ્ણાબેન ઉર્ફે ભૂમિબેન હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના જણાવ્યા અનુસારમૃતક વિનુભાઈએ તેમના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તાની ઉઘરાણી માટે ધમકીઓ આપતો હતો. બીજો આરોપી અંકિત પટેલ વિનુભાઈના ઘરેથી ટ્રોલીકલ્ટી અને ઇલેક્ટ્રિક બાઈક લઈ ગયો હતો.

ઘટનાના દિવસે પરિવારે સ્ટીલના બે ગ્લાસ અને ત્રણ વાટકીમાં ઝેરી દવા પીધી હતી. પુત્રીએ બહાર આવીને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ 108ને જાણ કરી હતી. પરિવારને પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્રપછી ઇડરની પંચમ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બેંક રિકવરી એજન્ટની પઠાણી ઉઘરાણીએ સગર પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.ત્યારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પોલીસે ભદ્રરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.બીજા આરોપી અંકિત પટેલની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Read the Next Article

ભાવનગર : પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર,આદપુરમાં વરસાદી પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા ગ્રામજનોને હાલાકી

પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું..

New Update
  • પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ

  • ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

  • આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા

  • રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"

  • કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓમાંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે. 

આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છેછતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.