સાબરકાંઠા : ઇડરમાં 12000ના પગારદાર યુવકને 36 કરોડનો હિસાબ રજુ કરવા માટે ITની નોટિસથી આશ્ચર્ય

ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય સર્જાયું...

New Update
  • IT વિભાગે ફટકારી 36 કરોડની નોટિસ

  • રૂ.12000ના પગારદારને મળી નોટિસ

  • નોટિસને પગલે સામાન્ય પરિવાર બન્યો ચિંતાગ્રસ્ત

  • યુવાને ખાધા વિવિધ વિભાગના ધક્કા

  • ઘટનાIT વિભાગની ભૂલ છે કે ફ્રોડ તપાસનો વિષય

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારનેIT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય સર્જાયું છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડરના રતનપુર ગામના જીતેશ રામજીભાઈ મકવાણા નામના યુવકને આવકવેરા વિભાગે 36 કરોડનો હિસાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે. જીતેશ અમદાવાદમાં રહીને એક કંપનીમાં રૂપિયા 12000ના પગારમાં નોકરી કરે છે. રતનપુર ગામમાં ઇન્દિરા આવાસ યોજનામાં તેના ઘરના સરનામે આવકવેરા વિભાગે આ નોટિસ મોકલી છે.

હિંમતનગરIT વિભાગે જીતેશ રામજીભાઈ મકવાણાને નોટિસ મોકલી છે.એમાં તેના નામે જે.કે. એન્ટરપ્રાઈઝના નામની પેઢીનો ઉલ્લેખ કરીનેGST નંબર દર્શાવાયો છે. આ પેઢી દ્વારા વર્ષ 2020-21 અને 2021-22ના વર્ષમાં કુલ થઈને 15 કરોડ 97 લાખ અને 20 કરોડ 05 લાખના ટ્રાન્ઝેક્શન થયા છેજે કુલ 36 કરોડ 03 લાખ થાય છે. આવકવેરા વિભાગની કલમ 148A(1) અંતર્ગત આ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે પેઢીનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટપરચેઝ રજીસ્ટરસેલ્સ રજીસ્ટર અને પેઢીને લગતી જરૂરી તમામ વિગતો સાથે 13 એપ્રિલ 2025 પહેલા જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

મહિને 12,000ના પગાર પર નોકરી કરી રહેલા જીતેશને 36 કરોડનો ખુલાસો કરવાની નોટિસ મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.જીતેશે જણાવ્યું હતું કે નોટિસ લઈને હિંમતનગરમાંIT વિભાગમાં ગયા બાદ એક ભાઈને નોટીસ બતાવી પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જ્યારે રાજ્ય સરકારના જીલ્લા અને તાલુકા મથકે અલગ અલગ વિભાગમાં ધક્કા ખાધા પણમે આઈ હેલ્પ યુ” ના વાક્યો લાખેલા છે પરંતુ કોઈએ મદદ ન કરી.પોલીસ સ્ટેશનસાયબર પોલીસ સ્ટેશન પણ ગયા બાદ માત્ર નિરાશા જ સાંપડી હોવાનું જીતેશે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આIT વિભાગની ભૂલ છે કે જીતેશ સાથે કોઈએ ફ્રોડ કર્યું છે તે પણ તપાસનો વિષય બની ગયો છે.

Read the Next Article

પંચમહાલ : ભાઇલાલ અમીન હોસ્પિટલ-વડોદરા અને IMA-ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરાયું...

પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ગોધરા શહેર ખાતે આધુનિક કેન્સર સેન્ટરનું નિર્માણ કરાયું

ભાઇલાલ અમીન હોસ્પિટલ-વડોદરાનો સહયોગ સાંપડ્યો

IMA-ગોધરાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું

મહાનુભાવોના હસ્તે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરાયું

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો ઉદ્દેશ : ડો. રવિ હીરવાણી

પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સર સેન્ટરના ઉદ્દેશ વિશે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હીરવાણીએ જણાવ્યું કે, “આધુનિક સારવાર પદ્ધતિઓઅનુભવી ડોક્ટરો અને ટેક્નોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સેન્ટરમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ અપાવવાનો અમારો ઉદ્દેશ છે.” ગોધરા સ્થિત આધુનિક કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપીકેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશેજે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-ગોધરાના વરિષ્ઠ તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ સહયોગનીIMA ગોધરાના વરિષ્ઠ તબીબોએ પ્રશંસા કરી હતી. આ સાથે જ હવે સ્થાનિકોને ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હીરવાણીબિઝનેસ હેડ ડો. નિરવ શાહરેડિએશન ઓન્કોલોજી વિભાગના એમડી ડો. વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાત ડો. રાજીવ શર્મા સહિત મોરિ સંખ્યામાં તબીબી જગતના નિષ્ણાત ડોક્ટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.