સાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર

પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે

New Update
સાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અમીનપુર ટેકરાની ગરીબ પ્રજા છેલ્લા પાંચ દિવસથી પાણી માટે વલખા મારે છે અને અડધોથી એક કિલોમીટર દુર દુરથી પાણી ભરી લાવવા મજબૂર બની છે સાબરકાંઠાના પ્રાંતિજના અમીનપુર ટેકરા પર છેલ્લા પાંચ દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની ગરીબ પ્રજા હાલ તો પાણી માટે વલખા મારે છે અને પાલિકામા રજુઆત બાદ પણ આ ગરીબ વિસ્તાર ના લોકોનુ કોઇ ના સાંભળતા રહીશોને પાણી માટે અડધોથી એક કિલોમીટર દુર દુર સુધી જવાનો વારો આવ્યો છે તો આ વિસ્તારના રહીશોને પાણી ન મળતુ હોય છતાંય પ્રાંતિજ પાલિકા દ્રારા પાણીનુ ટેન્કર પણ આપવામા આવ્યુ નથી અને પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે

Read the Next Article

દાહોદ : સાંસદ દ્વારા સંચાલિત કે.જે.ભાભોર શાળામાં એલસી માટે વિદ્યાર્થી પાસેથી રૂ.5000 વસૂલ્યા,સ્ટિંગ ઓપરેશનમાં ફૂટ્યો ભાંડો

એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

  • સાંસદની કે.જે.ભાભોર સ્કૂલનો બનાવ

  • એલસી માટે વિદ્યાર્થી પાસેથી લીધા રૂપિયા

  • 5 હજારમાં વિદ્યાર્થીને આપ્યું એલસી

  • વાલીએ સમગ્ર ઘટનાનું કર્યું સ્ટિંગ ઓપરેશન

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી.આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાએ જણાવ્યું હતું કેપ્રથમ વખત એલ.સી. કઢાવવાનો કોઇ ચાર્જ હોતો નથી. જો આ શાળાએ એલ.સી. માટે ફી લીધી હશે તો એ નિયમ વિરૂદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતીગ્રાન્ટેડ શાળામાં જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઇ શકે છે અને જો ખાનગી શાળા હોય તો એફ.આર.સી. દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે. જે એફ.આર.સી.ના ધારાધોરણ મુજબ એ ફી લઇ શકતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે છે કે પછી સાંસદની શાળા હોવાથી માત્ર તપાસનું તરકટ કરવામાં આવશે તે જોવું રહ્યું.

Latest Stories