અમરેલી:બાબરા ખાતે તાપડીયા આશ્રમમાં સંતવાણી કાર્યક્રમમાં કલાકારો પર થયો રૂપિયાનો વરસાદ

તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • બાબરામાં તાપડીયા આશ્રમમાં રામકથાનું આયોજન

  • રામકથા દરમિયાન સંતવાણીનું કરાયું આયોજન

  • ગોપાલ સાધુ અને ધવલ બારોટે બોલાવી ભજનોની રમઝટ

  • ધારાસભ્ય સહિતના આગેવાનોએ કલાકારો પર કર્યો રૂપિયાનો વરસાદ 

  • મોટી સંખ્યમાં સંતવાણી કાર્યક્મનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ

અમરેલી જિલ્લાના બાબરા ખાતેના તાપડીયા આશ્રમમાં સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ભજન અને લોકગીતોની રમઝટ દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લાના બાબરા ખાતેના તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંતવાણીના કલાકારો ગોપાલ સાધુ અને ધવલ બારોટ દ્વારા ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.

ત્યારે આ અવસરે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા,શહેર ભાજપ પ્રમુખ,પાલિકા પ્રમુખ દ્વારા સંતવાણી કલાકારો પર રૂપિયા 10,20 અને 100ની ચલણી નોટો ઉડાડીને જાણે રૂપિયાનો વરસાદ વરસ્યો હોય તેવો માહોલ સર્જી દીધી હતો,અને ઉપસ્થિત જનમેદની પણ સંતવાણીનું રસપાન કરીને તરબોળ બની ગઈ હતી.

Read the Next Article

જૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.

New Update

ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો

સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ

જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ

500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ

મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા 

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ  ગોંડલ  માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે  નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.