/connect-gujarat/media/post_banners/7c60a865f72db0e13dfcf079e8524f7f02527348a7432f65fdc67d64d5c468f4.jpg)
તા. 28/10/2023 શનિવારના ચંદ્રગ્રહણને લઇ શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા. 28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક છે.
સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા. 28/10/2023 ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના તમામ મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પુજા ક્રમ બંધ રહેશે. સાથે જ આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરીસરમાં દરમાસની પુર્ણીમાએ યોજાતા સુંદરકાંડ પાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે. તા. 29/10/2023ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા. 29 ઓકટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત: આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે. ચંદ્ર ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.