Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ભયજનક અકસ્માત, ડ્રાઈવરનો આબાદ બચાવ

અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ભયજનક અકસ્માત, ડ્રાઈવરનો આબાદ બચાવ
X

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નેશનલ હાઇવે પર અમદાવાદ થી સુરત જવાના માર્ગ ઉપર ભયજનક અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 ઉપર લેલન ઉપર ભરેલ લોખંડ એંગલો બ્રેક મારતા કેબિનમાં ઘુસી ગઈ હતી.

જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઘટના સામે આવી હતી. આટલા મોટા અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદ થી લેલનમાં લોખંડની એન્ગલો ભરી હૈદરાબાદ માટે નીકળેલ લેલનના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અચાનકના આગળ કાર આવી જતાં લેલનના ડ્રાઈવરએ બ્રેક મારતાની સાથેજ લોખંડની એન્ગલો ડ્રાઇવરની કેબિન પર ઢસડી આવી હતી. જોકે ડ્રાઈવરનો આબદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. અકસ્માત થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.

Next Story