ભાદરવા’ના અંતમાં “અષાઢી” માહોલ : શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો, ઓઝત-2  ડેમ પણ છલકાયો...

રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો અને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થયો છે,

New Update

રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો

ઓઝત-2  મુખ્ય ડેમ પણ 95 ટકા પાણીથી છલકાયો

નદીકાંઠા-નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા

રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છેત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો અને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થયો છેજ્યારે જુનાગઢ જિલ્લાનો ઓઝત-2  મુખ્ય ડેમ પણ 95 ટકા પાણીથી છલકાયો છે.

આમ તો રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છેત્યારે ભાદરવાના અંતમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થતાં ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમમાં ભારે પાણીની આવક શરૂ થઈ છે. ડેમમાંથી 1,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકેડેમ ઓવર-ફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. આ તરફજુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત-2 બાદલપુર 95 ટકા ભરાયો છે. આ ડેમ થકી 3 તાલુકાને પીવાનું પાણી મળી રહે છે. ખેડૂતોને સિંચાઇ માટે પિયતનું પાણી પણ આ ડેમ મારફતે મળે છે. રાત્રિ દરમ્યાન વધુ વરસાદ વરસતા ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઓઝત-2 ડેમમાંથી 5,700 ક્યુસેક પાણીની આવક સાથે જાવક થઈ રહી છે.

Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.