ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં આટલા પ્રવેશ કરાયા

રાજ્યમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે.

New Update

રાજ્યમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડમાં 64,463 એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. ત્યારે એલોટ થયેલ એડમિશન માંથી પણ 9583 એડમિશન અલગ અલગ કારણોસર હજી સુધી કન્ફર્મ કરવામાં આવ્યા નથી. પ્રથમ રાઉન્ડ બાદ ટૂંકમાં સમયમાં જ બીજો રાઉન્ડ જાહેર કરાશે.

Advertisment

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડ 64,463 બેઠક ફાળવવામાં આવશે.આરટીઇમાં પ્રવેશ માટે 54,880 અરજી પ્રથમ રાઉન્ડ માટે આવી હતી. જેમાંથી 45297 વિદ્યાર્થીઓને એડમિશન મંજુર કરવામાં આવી હતી, જ્યારે 9583 વિદ્યાર્થીઓને કોઈ કારણસર એડમિશન કન્ફર્મ કરવામાં આવ્યાં નથી. આમ 64,463 માંથી 45297 વિદ્યાર્થીઓની અરજીને માન્ય રાખીને એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં RTE અંતર્ગત એલોટ કરેલ એડમિશન કન્ફર્મ ન થવા પાછળ અલગ અલગ કારણો છે, જેમાં ગયા વર્ષે કોઈ સ્કૂલમાં 1માં ધોરણમાં બાળક ભણતું હોવા છતાં આ વર્ષે RTEનો લાભ લઈને ભણવા ફોર્મ ભર્યું હતું, પરંતુ નોંધણી નંબર હોવાથી આ પ્રકારના એડમિશન કન્ફર્મ નથી કરવામાં આવ્યા છે. RTE હેઠળ બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories