પંચમહાલ : આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કરતી એસઓજી,રૂ.84 લાખના વાહન કર્યા જપ્ત

પંચમહાલ SOGએ હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા ત્રણ વાહનો સાથે આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કરી 84 લાખના ત્રણ વાહનો પોલીસે કર્યા જપ્ત..

New Update
  • પંચમહાલSOGને મળી સફળતા

  • આંતરરાજ્ય વાહનચોરીનો કર્યો પર્દાફાશ

  • પોલીસે કરી એક વાહનચોરની ધરપકડ

  • રૂ.84 લાખના ત્રણ વાહનો પોલીસે કર્યા જપ્ત

  • ખોટા ડોક્યુમેન્ટ બનાવી વાહનનો કરતા ઉપયોગ

પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો,અને એક વાહન ચોરની ધરપકડ કરી હતી,જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.તેમજ રૂપિયા 84 લાખના ત્રણ વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા.

પંચમહાલSOGએ હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા ત્રણ વાહનો સાથે આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચિખોદ્રા ગામ નજીક ત્રણ શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનોના એન્જિન અને ચેસીસ નંબર સાથે છેડછાડ કરવામાં આવી હતી.અને પોલીસે શંકાસ્પદ ત્રણ વાહન કબજે કર્યા હતા.

પોલીસે ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઝકરીયા મસ્જિદ પાસે રહેતા રમજાની સુલેમાન મદારા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક  પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે ચોરાયેલા વાહનોના રંગ અને નંબર પ્લેટ બદલીખોટા દસ્તાવેજો બનાવી તે વાહનોનો ઉપયોગ કરતા હતા.

આ કેસમાં અન્ય બે આરોપીઓ  ફેસલ યુસુફ શેખ ઉર્ફે ફેસલ ચંપા અને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મોહમ્મદની હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.એસ.ઓ.જી. ટીમ દ્વારા કબ્જે કરાયેલા ત્રણેય વાહનોની કિંમત અંદાજે રૂપિયા 84 લાખ બતાવવામાં આવી છે. હાલ પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો તથા ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર સહિત સમગ્ર જિલ્લાના હજારો રેશનકાર્ડ ધારકોને તંત્રની નોટીસ, પાત્રતા ન હોય એવા લાભાર્થીઓને નહીં મળે અનાજ !

રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
  • રાજ્ય સરકારના આદેશ બાદ કાર્યવાહી

  • રેશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ પાઠવી

  • પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકો અનાજ લેતા હોવાનું બહાર આવ્યું

  • નોટીસ પાઠવી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ

  • કોંગ્રેસે તંત્રની કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર એન.એસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર, તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  સાત દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે, પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે.
આ પ્રકારની કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાઠવાયેલ નોટીસોમાં PM-KISAN યોજના અથવા જમીન માલિકીના આધાર પર રેશનકાર્ડ રદ કરવા જણાવાયું છે, જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ, 2013 તથા બંધારણની કલમ 21  જીવન અને આહારના હકનું ખુલ્લું ઉલ્લંઘન છે. જમીનની માલિકી આર્થિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ નથી. સંયુક્ત કુટુંબોમાં વારસાઈ વહેચણ બાદ હિસ્સો નહિવત રહે છે અને ખેડૂતોની આવક પૂરતી નથી. આવી સ્થિતિમાં અનાજ કાપવુએ લોકોના પેટ પર લાત મારવા સમાન છે.