અમરેલીનો બાપ બોલુ છું...કહેનારાના જુઓ પોલીસે કેવા કર્યા હાલ

“અમરેલીનો બાપ બોલું છું” કહી પેટ્રોલ પંપના માલિક પાછે થી રૂપિયા 10 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

New Update
અમરેલીનો બાપ બોલુ છું...કહેનારાના જુઓ પોલીસે  કેવા કર્યા હાલ

અમરેલી શહેરમાં એક પેટ્રોલ પંપના માલિકને છત્રપાળ વાળા નામના ઇસમે ફોન પર "અમરેલીનો બાપ બોલું છું" કહી રૂપિયા 10 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં એસપી નિરલિપ્ત રાયને પણ ખુલ્લો પડકાર ફેંકનાર ઇસમ છત્રપાળ વાળા ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથે ઝડપાયો હતો, ત્યારે કાયદાનું ભાન કરાવવા અમરેલી પોલીસ દ્વારા આરોપીનું સરાજાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમરેલી શહેરમાં આવેલ ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયા પાસે છત્રપાલ વાળા નામના ઇસમે ફોન પર રૂપિયા 10 લાખની ખંડણીની માંગણી કરી હતી. તો સાથે જ તેને જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી, જ્યારે આ ઓડિયો-ક્લિપમાં એસપી નિરલિપ્ત રાયને પણ છત્રપાલ વાળાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો, ત્યારે હિતેશ આડતિયા દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી LCB પોલીસે છત્રપાલ વાળાને ઝડપી પાડ્યો હતો.

અમરેલી પોલીસ દ્વારા તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, હિતેશ આડતિયાને શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવા માટે રૂ. 10 લાખની માંગ કરાઇ હતી, અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની પણ આરોપીએ ધમકી આપી હતી. જોકે, છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવી ખંડણી માંગી હતી, જોકે, પેટ્રોલ પંપના માલિકે ના કહેતા 3 દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી. કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવનાર છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે ખંડણી માંગનારને ઝડપી પાડી અમરેલી પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે સરાજાહેર તેનું સરઘસ કાઢ્યું હતું.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.