Connect Gujarat
ગુજરાત

ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા એ જ વંદેભારત ટ્રેન પર રાજકોટ નજીક થયો પથ્થરમારો,રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી,

ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા એ જ વંદેભારત ટ્રેન પર રાજકોટ નજીક થયો પથ્થરમારો,રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી
X

રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી, જેમાં અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેનના C-4 કોચ પર બીલેશ્વર વચ્ચે કોઈ અજાણ્યા શકસોએ પથ્થરમારો કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જે ટ્રેનમાં સવાર હતા તે જ ટ્રેન પર થયો પથરમારો થયો હતો. રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પથ્થરમારા દરમિયાન કોઈને જાનહાની થઈ નથી,

Next Story