/connect-gujarat/media/post_banners/77874ffced5c84ef6029150204b5b5e55d32a0312d399cb5cf273366fb81eccc.webp)
સુપ્રીમ કોર્ટે આજે ગોધરાકાંડના એક દોષિત ફારુકને જામીન આપ્યા છે. આજીવન કેદ સામે દોષિતની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે ફારુક 2004થી જેલમાં છે, એટલે આજે તેને જામીન આપવામાં આવ્યા છે.જામીનનો વિરોધ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે 'તે સૌથી જઘન્ય અપરાધો પૈકીનો એક હતો. લોકોને બોગીઓમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં પથ્થરમારો ઓછો ગંભીર ગુનો હોઈ શકે છે, પરંતુ આ એક અલગ જ પ્રકારનો ગંભીર ગુનો છે.'27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર અમુક ટોળાએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 59 કાર સેવક જીવતા ભૂંજાયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. એમાં એક દોષિત ફારુક પર પથ્થરમારો અને હત્યાનો કેસ સાબિત થયો હતો. આ પછી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.આમ તો ગોધરાકાંડ બાદ થયેલી ટ્રાયલ્સમાં લગભગ 9 વર્ષ પછી 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. દોશી ફારુક તેમાંથી એક છે.અગાઉ 13 મે, 2022ના રોજ અન્ય એક દોષિત અબ્દુલ રહેમાન ધંતિયા કનકટ્ટો જાંબુરોને 6 મહિના માટે જામીન આપવામાં આવ્યા હતા. રહેમાનની પત્નીને ટર્મિનલ કેન્સર છે અને તેની દીકરીઓ માનસિક રીતે બીમાર છે.11 નવેમ્બરે તેના જામીનને 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યા હતા.