સુરત : 10 દિવસની પૂજા-અર્ચના બાદ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન

ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

New Update

આજે અનંત ચૌદશના દિવસે ઠેર ઠેર શ્રીજીનું વિસર્જન

10 દિવસની પૂજા અર્ચના બાદ ગણેશજીનું વિસર્જન

શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભારે હૈયે ગણેશજીનું કરવામાં આવી રહ્યું છે વિસર્જન

ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક અનેક ભાવિકો ભાવુક બન્યા

સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

આજે અનંત ચર્તુદર્શી છેત્યારે 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજેતો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છેજ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતના ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓએ શ્રીજીનું પૂજન અર્ચન કરી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતમાં 5 ફૂટથી મોટી મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે 16 જેટલી ક્રેઇન થકી કરવામાં આવી રહ્યું છે. હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન શરૂ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. તો બીજી તરફકોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.