/connect-gujarat/media/media_files/2025/03/14/vM3566mX23saHOVPwVvL.jpg)
વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કારમાંથી મૃતકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. જેમાં ફાયર કટર વડે કારનો અમુક ભાગ કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,અને હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.