Connect Gujarat
ગુજરાત

સુરત : અન્નદાનનો મહાયજ્ઞ, શ્રીજી ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ વૃદ્ધોને અપાય છે ઘર બેઠા ટિફિન

સુરત : અન્નદાનનો મહાયજ્ઞ, શ્રીજી ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ વૃદ્ધોને અપાય છે ઘર બેઠા ટિફિન
X

સુરત શહેરના વરાછા વિસ્તારમાં શ્રીજી ટિફિન સેવા સંસ્થા દ્વારા સેવાની ધૂણી ધખાવવામાં આવી છે. આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વૃદ્ધોને ભોજન પહોચાડવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

સુરતની શ્રીજી ટિફિન સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ એવા 60 વર્ષથી વધુની વય ધરાવતા વૃદ્ધ વડીલોને રોજ તેમના જ ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદોને વિનામુલ્યે શુધ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોચડવા માટે વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. શહેરના વરાછા, કામરેજ, કતારગામ, અમરોલી સહિતના આસપાસના વિસ્તારોમાં જો કોઈને વૃદ્ધ વડીલોને ભોજન ન મળતું હોય તેવા વૃધ્ધો માટે સહાયના ભાગરૂપે શ્રીજી ટિફિન સેવા સંસ્થાના સભ્ય સંદીપ રૂપાવટીયા મોબાઈલ નં. 8238181951 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

તો સાથે જ કોઈએ પણ પોતાના ઘરેથી ટિફિન આપવું અથવા નાના મોટા પ્રસંગોમાં વધેલું ભોજન કોઈ જરૂરિયાતમંદોને પહોચાડવું હોય તો શ્રીજી ટિફિન સેવાનો સંપર્ક કરવા સંસ્થાના સભ્યોએ લોકોને અપીલ કરી છે.

Next Story